શાંતિ જાળવવા કે સારા વતૅન માટેના જામીન આપવાનુ ફરમાવતા અથવા જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીની રદ કરતા હુકમ ઉપર અપીલ - કલમ:૩૭૩

શાંતિ જાળવવા કે સારા વતૅન માટેના જામીન આપવાનુ ફરમાવતા અથવા જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીની રદ કરતા હુકમ ઉપર અપીલ

નીચે જણાવેલ વ્યકિત તેમા જણાવેલ હુકમ સામે સેશન્સ કોટૅને અપીલ કરી શકશે

(૧) શાંતિ જાળવવા કે સારી ચાલચલગત માટે જામીન આપવાનો કલમ ૧૧૭ હેઠળ જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત અથવા

(૨) કલમ ૨૧૨ હેઠળના જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીન રદ કરતા હુકમથી નારાજ થયેલા વ્યકિત પરંતુ કલમ ૧૨૨ની પેટા કલમ (૨) કે પેટા કલમ (૪)ની જોગવાઇઓ અનુસાર જે વ્યકિતઓ સામેની કાયૅવાહી કોઇ સેશન્સ જજ સમક્ષ રજુ કરવામાં આવેલ હોય તેમને આ કલમનો કોઇ પણ મજકુર લાગુ પડશે નહી